સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

ભાવનગરમાં શિશુવિહાર દ્વારા નિઃશુલ્ક દવાખાના

 ભાવનગર શહેરમાં શિશુવિહાર સંસ્થામાં ચાલતા સુશીલાબેન રમણલાલ મહેતા મેડિકલ સેન્ટરની સુવિધાઓ કોરોના સ્થિતિ વસાત કુંભારવાડા અને ભરતનગર જેવા જરૂરીયાત મંદ વિસ્તારોમાં ફેરવવામાં આવેલ પરંતુ હાલમાં સ્થિતિ સામાન્ય થઇ રહી હોય. લાભ પાંચમથી પુનઃ શિશુવિહાર કેન્દ્ર ઉપર નિષ્ણાત ડોકટરો દ્વારા આરોગ્ય તપાસ અને જરૂરિયાતમંદ દર્દીઓને દવા લેબ.ની સુવિધા ઉપલબ્ધ કરવાનું પ્રારંભ થયું છે. રામ મંત્ર મંદિર ટ્રસ્ટ તથા શહેરના સ્થાનિક ઉદ્યોગોના સહકારથી વિશેષ સુવિધાઓ મળતા નાગરીકોને વધારે યોગ્ય તબીબી સુવિધા મળશે. દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા પ્રસંગે સ્થાનિક ઉદ્યોગોના અધિકારીશ્રીઓ પણ શિશુવિહારમાં ઉપસ્થિત રહ્યા હતા.

(9:58 am IST)