સાવરકુંડલા પાલિકા પટાંગણમાં જોગીદાસબાપુ ખુમાણની પ્રતિમા
સાવરકુંડલા, તા.૨૩: નગરપાલિકા દ્વારા જોગીદાસબાપુ ખુમાણ નું સ્ટેચ્યુ મુકવા ખાતમુહૂર્ત ઉષામૈયાના હસ્તે કરવામાં આવેલ હતું.
સાવરકુંડલા કોંગ્રેસ શાસિત નગરપાલિકા પ્રવર્તમાન શાસન તળે શૂરવીર ગૌરવ સમાન જોગીદાસ બાપુ ખુમાણનું સ્ટેચ્યુ નવ નિર્માણ પામેલ પાલિકાની બીલડીગ ના વિશાળ પટાંગણમાં ઉષામૈયા અને ધારાસભ્ય પ્રતાપભાઈ દુદ્યાત અને પ્રદેશ કોંગ્રેસ સમિતીના મંત્રી ચંદ્રેશભાઈ રવાણી અને નગર પતિ વિપુલભાઈ ઉનાવાના હસ્તે કરવા માં આવેલ હતું. આ સ્ટેચ્યુ અંદાજે રૂપિયા ૨૯ લાખ જેવી માતબર રકમના ખર્ચે મુકવામાં આવશે. પ્રતાપભાઈ ખુમાણ મગળુભાઈ ખુમાણ અમરૂભાઈ ખુમાણ તેમજ ખુમાનભાઈ ઓ તેમજ નગર પાલિકાના સભ્ય કોંગ્રેસી આગેવાનો શહેર ના પ્રતિષ્ઠિત આગેવાનો અને કર્મચારીઓ હાજર રહેલ હતા.(તસ્વીર.અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)