માંગણના વેશમાં ઘરમાં ઘુસીને ચોરી કરતી ૩ મહિલા જામનગરમાં ઝબ્બે
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૩: જામનગર એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. સંજયસિંહ ગોગાવતસિંહ વાળા તથા પોલીસ કોન્સ. અજયસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે ચોકીદાર કરણ બીરબહાદુર રહે. જામનગર સત્યમ કોલોની અન્ડરબ્રીજ પાસે મનધારા રેસીડેન્સીમાં ચોકીદાર રૂમમાં ફરીયાદીના રહેણાક મકાનમાંથી દીવાળીના બેસતા વર્ષના દિવસે કરેલ રોકડા રૂપિયાની ચોરીનો ટુંકા સમયમાં ભેદ ઉકેલીને મુદામાલના રોકડા નાણા રૂ. ર૪.૧૦૦/-ની રકમ સાથે ત્રણ આરોપી બહેનો (૧) જમનાબેન વલ્લભભાઇ મનજીભાઇ માથરોટીયા (દેવીપુજક) ઉ.વ. ૪ર રહે. મુળ ધ્રોલ લતીપુર રોડ વાઘરીવાસ (ર) ધનીબેન જીવણભાઇ અમરશીભાઇ વાઘેલા (દેવીપુજક) ઉ.વ. રપ રહે. સદર (૩) લખીબેન મુકેશભાઇ ગુલાબભાઇ ચખાણીયા (દેવીપુજક) ઉ.વ. ૩પ રહે. સદરવાળીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી બહેનો માંગણના વેશમાં, શેરી કે વિસ્તારોમાં ફરી કોઇ મકાન કે ફલેટમાં તક મળે તો ઘુસી જઇ ચોરી કરે છે અને આરોપી જમનાબેનનો પતિ વલ્લભ મનજી દેવીપૂજક જાણીતો ઘરફોડીયો છે અને હાલ જેલમાં સજા હેઠળ છે.