સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd November 2021

ચોટીલાના સાલખડામાં દિવ્યાને પતિ કિશોર અને જેઠ અશોકે માર માર્યો

સરધારના હરિપર માવતરે આવ્યા બાદ સારવાર માટે દાખલ થઇ

રાજકોટ તા. ૨૩: ચોટીલાના સાલખડા ગામે સાસરૂ ધરાવતી દિવ્યાબેન કિશોર સાગઠીયા (ઉં.વ.૨૪)ને તેના પતિ કિશોર વાલજીભાઇ સાગઠીયા અને જેઠ અશોક વાલજીભાઇએ લાઇટના દોરડાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે મોટી મોલડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
દિવ્યાબેનના ભાઇના કહેવા મુજબ તેણીનો પતિ કિશોર તેની સાથે ઘણા દિવસથી માથાકુટ કરતો હતો. ગઇકાલે તેણીને કપડા ભરી લેવાનું કહેતાં તેણીએ તમારે મને ક્યાં મુકવા જવી છે એ મને ખબર છે? તેમ કહેતાં પતિએ મારકુટ ચાલુ કરી હતી. ત્યાં જેઠ આવી ગયો હતો અને તેને પણ મારકુટ કરી હતી. સરધારના હરિપર ગામે દિવ્યાબેને માવતરે આવી સારવાર માટે દાખલ થઇ છે.

 

(11:54 am IST)