News of Wednesday, 24th February 2021
મોરબીની પટેલ કોલેજના આચાર્યની સૌરાષ્ટ્ર યુની.ના એકાઉન્ટસીબોર્ડમાં નિમણુંક
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૪ : સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે આજે એકાઉન્ટસી બોર્ડની ચેરમેનની ચુંટણી યોજાઈ હતી જેમાં રાજકોટ ભાલોડીયા કોલેજના પ્રા. ડો. રમેશ ડાંગર વિજેતા જાહેર થયા હતા જયારે અધર ધેન ચેરમેન તરીકે મોરબીની પી જી પટેલ કોલેજના આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટની નિમણુક થઇ છે
અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા ડો. રવીન્દ્ર ભટ્ટની નિમણુકને પલ્ગે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, મેનેજીંગ ડીરેકટર જતીનભાઈ આદ્રોજા તેમજ પી જી પટેલ કોલેજના સ્ટાફે શુભકામનાઓ પાઠવી છે.
(11:54 am IST)