News of Tuesday, 24th May 2022
ઉનામાં પત્ની સાથે મનદુઃખ થતાં પતિનો ગળેફાંસો ખાઇને આપઘાત
(નવીન જોષી દ્વારા) ઉના તા.ર૪ : તળાવ કાંઠે મોટા હનુમાન મંદિર પાછળ રહેતા યુવાને પત્ની સાથે મનદુઃખથી લાગી આવતા ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તેનું મૃત્યુ થયેલ છે.
તળાવકાંઠે મોટા હનુમાન મંદિર પાછળ રહેતાં ભરતભાઇ કાળુભાઇ બાંભણીયા (ઉ.વ.૩પ)ની પત્ની બે માસથી માવતરે હોય અગાઉ પત્ની સાથે મનદુઃખ થયેલ હતુ અને પત્ની સાથે બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઇ લીધેલ હતો અને બેભાન હાલતમાં ઉના દવાખાને લાવતા ડોકટરે મૃત જાહેર કરેલ હતો.
આ અંગે ઉના પોલીસમાં તેના માતા વાલીબેન કાળુભાઇ બાંભણીયા રે. ઉના વાળાએ જાહેરાત કરતા પી.એસ.આઇ. ગરચર તપાસ કરી રહયા છે.
(11:01 am IST)