સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th June 2021

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેકિસનેશન અભિયાન : પ્રભાસપાટણ-વેરાવળ

સોમનાથ ખાતેના સોમનાથ ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર ખાતે શરૂ થયેલ કોરોના વેકિસન મહા અભિયાનમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઆઙ્ખએ ભાગ લઈ વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટ અતિથિ ગૃહ વિભાગના અધિકારી જીતુપુરીબાપુ ગોસ્વામી એ વેકસીનનો બીજો ડોઝ લઈ સર્વ ને આ રાષ્ટ્રીય અને કોરોનાને હરાવવાના કાર્યને વેકસીન લેવા અપીલ કરું છું. અને આપના સૌના પ્રયાસોથી ગુજરાત અને દેશ કોરોના મુકત થશે. રસીકરણની આ કાર્યવાહી આરોગ્ય શાખાના કિંજલબેન તથા સ્ટાફે વેકસીન કાર્ય સંપન્ન કર્યું હતું. (તસ્વીર - અહેવાલ : મીનાક્ષી ભાસ્કર વૈદ્ય - પ્રભાસપાટણ, દિપક કક્કડ - વેરાવળ)

(10:49 am IST)