સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th June 2021

કેશોદ : માધવપુર ઘેડમાં માનવતા પરિવાર દ્વારા નેત્રયજ્ઞ સંપન્ન

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૨૪: મધવપુર ઘેડ મુકામે માનવતા પરિવાર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટના સંયુકત સહયોગથી દર મહિનાની ૨૨ મી તારીખે માધવપુરના મહેર સમાજ (રામ મંદિર) ના પ્રાંગણમા નિઃશૂલ્ક નેત્ર કેમ્પ યોજવામાં આવે છે. પ્રાચીન, ઐતિહાસિક વારસો ધરાવતું ભગવાન શ્રી કૃષ્ણની આ ભૂમિમાં અનેક સેવાકિય કાર્ય થતાં રહે છે. ગત તા.૨૨ના વિનામૂલ્યે યોજાયેલા નેત્ર નિદાન કેમ્પમાં ૭૦ વ્યકિતઓએ આંખોની તપાસ કરાવી અને તેમાંથી ૧૭ વ્યકિતઓને રાજકોટ મુકામે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા છે.

મોતિયાથી મુકિત મેળર્વોંએ સુત્રને ચરિતાર્થ કરનાર માણસો જે સ્નેહ, સેવા અને સમર્પણને પોતાનો જીવનમંત્ર માને છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવો શ્રી આર. આર. ભુવા, શ્રી એમ. એન. જોષી , શ્રી હીરાભાઈ મૂળૂભાઈ, શ્રી જાગાણી સાહેબ તેમજ મહિલા મંડળની બહેનોએ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્ર્મને સફળ બનાવવા સતત જહેમત ઉઠાવી હતી.

(10:47 am IST)