News of Thursday, 24th June 2021
જૂનાગઢ જિલ્લાનાં ૪ તાલુકામાં કોરોના કેસ શૂન્યઃ ૨૪ કલાકમાં માત્ર ૧૩ કેસ
એક જ દિવસમાં વધુ ૪૮ દર્દી ડિસ્ચાર્જ થયા
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૪: જૂનાગઢ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ખતમ થવામાં હોય ૨૪ કલાકમાં ૪ તાલુકામાં કેસ શૂન્ય થવાીન સાથે માત્ર ૧૩ જ કેસ નોંધાયા હતા.
બુધવારે જૂનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, મેંદરડા અને વંથલી કોરોના મુકત રહેલ. જયોર જૂનાગઢ સીટીમાં પાંચ, માળીયા-૩, માંગરોળ-બે અને કેશોદ, માણાવદર, તેમજ વિસાવદર વિસ્તારમાં માત્ર એક-એક કેસની એન્ટ્રી થઇ હતી.
કેસ ઘટવાની સાથે જિલ્લામાં એક સાથે ૪૮ દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જયારે સદનસીબે એક પણ મૃત્યુ ન થતાં રાહત પ્રસરી છે.
બીજી તરફ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૧૯૧૦ અને ગ્રામ્યમાં ૯૭૨૫ મળી કુલ ૧૧૬૩૫ લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી.
(10:49 am IST)