મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૧ મો વિદ્યાર્થી સન્માન સમારોહ રામધન આશ્રમ ખાતે યોજાયો
નિવૃત કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન: વિદ્યાર્થીઓને ઘરે જઈને શિલ્ડ અને પ્રમાણપત્ર અને ઇનામ અપાયા
શ્રી મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૧ મો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ અને નિવૃત કર્મચારીઓનો વિદાય સમારોહ શહેરના રામધન આશ્રમ ખાતે યોજવામાં આવ્યો હતો
જે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ઇનામ પ્રો રામભાઈ વારોતરીયાના આર્થિક સહયોગથી આપવામાં આવેલ તેમજ નિવૃત કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું કોરોના મહામારીને ધ્યાને લઈને વિદ્યાર્થીઓને ઘરે જઈને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમન ઇનામ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું
જે કાર્યક્રમમાં ચંદુભાઈ હુંબલ, રામભાઈ વારોતરીયા, દિનેશભાઈ હુંબલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જીલ્લા આહીર કર્મચારી મંડળના મુખ્ય હોદેદારો અને કારોબારી સમિતિએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કાર્યક્રમમાં સ્વાગત પ્રવર્ચન મયુરભાઈ ગજીયા દ્વારા, મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગર દ્વારા તેમજ આભાર વિધિ વિક્રમભાઈ ડાંગર દ્વારા કરાયું હતું કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું