સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

સોરાષ્ટ્ર ઝોનની બેઠક સોમનાથમા યોજાશે :પ્રદેશ અને દિલ્હી 500 થી વધુ આગેવાનો હાજરી આપશે

સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરી અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી શંખનાદ કરવામાં આવશે

પ્રભાસ પાટણ:સૌરાષ્ટ્ર ઝોનની બેઠક સોમનાથ બાય પાસ ખાતે યોજાશે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે સવારના બાઇક રેલી કાઢવામાં આવશે જે સવારના નવ કલાકથી વેરાવળ શહેરના મુખ્ય માર્ગો ઉપર તેમજ આ રેલી સોમનાથ મંદિર આવશે જ્યાં સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવશે બાઈક રેલી બાદ બપોરના બાય પાસ ઉપર આવેલ હોટલ મા સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે અને ચૂંટણી લક્ષી મહત્વની ચર્ચા કરવામાં આવશે જેમાં સંગઠન બાબતે જેમ તાલુકા કક્ષાએ થી બુથ સુધી સંગઠન મજબૂત કરવુ તેમજ મતદારોને મતદાન બુથ સુધી પહોંચાડવા સહિત અનેક રણનિતી નક્કી કરવામાં આવશે

    આ બેઠકમા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર,વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ પ્રભારી રધુ ચર્મા ,સૌરાષ્ટ્ર ઝોનના ઈનચાર્જ રામકિશ્રન ઓઝા સહિત અનેક આગેવાનો હોદેદારો અને ગુજરાત દિલ્હી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થી 500 થી વધુ આગેવાનો હાજરી આપશે અને ચુંટણી લક્ષી રણનીતિ તૈયાર કરવા મા આવશે

(10:45 pm IST)