બગસરામા હોલસેલ અને રીટેલ કિરાણાની દુકાનો બંધ રહી
બગસરા, તા.૨૪: બગસરા હોલસેલ અને રીટેલ કિરાણા એસોસિયેશન દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને પગલે કરિયાણાની દુકાનો સજ્જડ બંધ રાખવામાં આવેલ હતી. આ તકે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં બગસરા પાલિકા દ્વારા નબળી મોન્સૂન કામગીરીને લીધે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પાણી ભરાઈ જવાની શકયતાઓ ઉભી થઇ હતી. જેને લીધે વેપારીઓને ભૂતકાળની જેમ ફરી લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવે તેવું જણાઈ રહ્યું હતું. આ બાબતે પાલિકામાં વારંવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા બગસરાના નાનામોટા તમામ કિરાણાના વહેપારીઓએ દુકાન બંધ રાખી હતીને બપોરના ૧૨ કલાકે નગરપાલિકાએ અને મામલતદાર ઓફિસે આવેદન પત્ર પાઠવયું હતું આ અંગે બગસરા નગર પાલિકાના પ્રમુખ પરેશ ખીમસુરીયા દ્વારા વેપારીઓને સમજાવટ કરી દુકાનો ખોલી નાખવા આગ્રહ કર્યો હતો બાદમાં પાણીના નિકાલ સહિતના તમામ મુદ્દે લેખિતમાં બાહેંધરી આપી હતી. જેને પગલે વેપારીઓ દ્વારા બપોર બાદ દુકાનો ખોલી નાખવામાં આવી હતી વેપારીઓના પ્રશ્નોનો સુખદ અંત આવતા પાલિકાએ રાહતનો શ્વાસ લીધો હતો.