સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

ધોરાજીના ૪૬ યાત્રાળુઓ કરશે અમરનાથ યાત્રા

(કિશોરભાઇ રાઠોડ દ્વારા)ધોરાજી, તા. ૨૪ : છેલ્લા ૧૭ વર્ષથી  બજરંગ દળ દ્વારા બાબા બુઢા અમરનાથની યાત્રા કરવામાં આવે છે. તા.૨૭થી શરુ થતી યાત્રામાં ધોરાજીના ૪૬ યાત્રાળુઓ  જશે.

જેનો સન્માન કાર્યક્રમ  સ્વામી નારાયણ મંદિર ખાતે યોજાયો હતો,જેમાં યાત્રાના પ્રાંત સંયોજક નાનજીભાઈઍ યાત્રાની માહિતી આપી હતી, સંઘના પ્રાંત અધિકારી ચંદુભાઈ ચોવટિયાઍ બાબા બુઢા અમરનાથની યાત્રાનું મહત્વ બતાવ્યું હતું, તથા પૂ.સંત પુરાણી સ્વામીઍ આર્શીવચન આપ્યા હતાં. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ દલસુખભાઈ વાગડીયાઍ આભાર વિધિ કરી હતી.આ યાત્રામાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી ૪૦૦ બહેનો મળીને કુલ ૭૦૦ હિંદુઓ રાજકોટથી રવાના થશે તેવું મનીષભાઈ સોલંકીની યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)