બદ્રીનાથના દર્શન કરીને ચાર ધામની યાત્રા શરૂ કરતા રમેશભાઇ ધડુકઃ સાથે અન્ય ૪૦ આગેવાનો જોડાયા
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૪: સાંસદ રમેશભાઇ ધડુક બદ્રીનાથના દર્શન કરીને ચારધામ યાત્રાનો પ્રારંભ કર્યો છે. રમેશભાઇ ધડુક સાથે પોરબંદર લોકસભા સંસદીય વિસ્તારના અન્ય ૪૦ આગેવાનો જોડાયેલ છે.
પોરબંદર લોકસભા વિસ્તારના ૪૦ આગેવાનો સાથે યાત્રાનો શરૂ કરનાર પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક સૌ પ્રથમ બદ્રીનાથના દર્શન કર્યા હતા. પોરબંદરના ધાર્મિક અને આધ્યાત્મીક રીતે સતત મત વિસ્તારના મતદારો અને કાર્યકરોની ચિંતા કરતા સાંસદ રમેશભાઇ ધડુક ચારધામ યાત્રાનો સંકલ્પ કર્યો હતો.
સાંસદ રમેશભાઇ ધડુક સાથે તેમના સાથી આગેવાનો અને કાર્યકરો પણ ચારધામ યાત્રામાં જોડાયા છે. બદ્રીનાથ કેદારનાથની પૂજા અર્ચના કરી યાત્રા અને આગળ ધપાવી રહયા છે. કાર્યકરોને પણ યાત્રામાં ઉમંગ વધારી યાત્રાનો લાભ લઇ રહયા છે.
ચાર ધામ યાત્રામાં સાંસદ રમેશભાઇ ધડુક સાથે પોરબંદરના લોકસભા વિસ્તારના આગેવાન રણછોડભાઇ શિયાળ (ખારવા સમાજ) પંકજભાઇ મજીઠીયા (પોરબંદર શહેર પ્રમુખ) સાગરભાઇ મોદી (યુવા પ્રમુખ) લીલાભાઇ રાવલીયા (તાલુકા ભાજપ પ્રમુખ કુતિયાણા), રવિભાઇ માકડીયા (રાજકોટ જીલ્લા યુવા મોરચા મહામંત્રી) અજયભાઇ જાગાણી -અશ્વીનભાઇ (ઉપલેટા કોર્પોરેટર વોર્ડ નં. ૧) તેમજ ભાવેશભાઇ સુવા -પિન્ટુભાઇ-નરેશભાઇ જુગલ સહિત યુવાનો યાત્રામાં જોડાયા છે.