સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

જામજોધપુરના મોલમાં ચોરી

જામનગર, તા.૨૪: જામજોધપુર ગામે રહેતા વિજયભાઈ રમેશભાઈ વલ્લભભાઈ સાપરીયા, ઉ.વ.૩૭એ ફરીયાદ નોંધાવી છે કે, ગાયત્રી મંદિર સામે ફરીયાદી વિજયભાઈના શ્રીનાથજી સુપર માર્કેટ મોલમાં કોઈ અજાણ્‍યો ચોર ઈસમે મોલની છતનું પતરુ ઉચકી મોલમાં પ્રવેશ કરી મોલના થડામાં રહેલ રોકડા રૂપિયા ૧પ,૦૦૦/- તથા એક સીલીગ ફેન કિંમત રૂ.૧૦૦૦/- તથા મોલના રહેલ પરચુરણ સામાન જેમાં સેમ્‍પુ, બોડીવોસ બંન્‍ને આશરે ૧૦ નંગ જેની કિંમત રૂ.ર૦૦૦/- મળી કુલ રૂ.૧૮૦૦૦/- ના મુદામાલની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
પત્‍ની માવતરે ચાલી જતાં પતિએ આયખું ટુંકાવ્‍યું
કાનાલુસ ગામે રહેતા રીનાબેન વિજયભાઈ ગોવિંદભાઈ નડીયાપરા, ઉ.વ.૩૯ એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  કૈલાશભાઈ પુંજાભાઈ કેશવાલા, ઉ.વ.૩પ ના પત્‍ની શશીકલાબેન જે પોતાના પીયર કર્ણાટક ખાતે જતા રહેલ અને પરત આવતા ન હોય જેના કારણે મનમા લાગી આવતા છતના પંખાના પ્‍લાસ્‍ટીકની દોરી વડે ગળાફાંસો ખાઈ મૃત્‍યુ પામેલ છે.
પત્‍નીના વ્‍યોગમાં વૃઘ્‍ધે ઝેરી દવા પી લેતા મોત
જામવાડી ગામે તાલુકા શાળાની બાજુમાં રહેતા દિનેશભાઈ કાનજીભાઈ ચાવડા, ઉ.વ.૪૦ એ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, કાનજીભાઈ કેશવભાઈ ચાવડા, ઉ.વ.૬૯ ના પત્‍ની સાતેક મહિના પહેલા હાર્ટએટેક આવવાના કારણે મરણ ગયેલ હોય ત્‍યારથી પોતે એકદમ ગુમસુમ રહેતા હોય અને પોતે તામસી મગજના થઈ ગયેલ હોય જેના કારણે તેની માનસીક સ્‍થિતી બગડી ગયેલ હોય અને તામસી મગજના કારણે પોતે વાડી તરફના જવાના રસ્‍તે કોઈ ઝેરી દવા પોતે પોતાના હાથે પી જતા મૃત્‍યુ પામેલ છે.
બાલંભા ગામે બોટલ સાથે ઝડપાયો  
જોડીયા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નિરવભાઈ રમેશચંદ્ર જોષી એ ફરીયાદ નોંધાવી છે કે, બોડકા ગામના દેવીપુજક વાસ નજીક બાલંભા ગામે આરોપી હિતેષભાઈ કૈલાશભાઈ કુંઢીયા દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.૩૭પ/- સાથે ઝડપાઈ ગયેલ છે.

 

(1:01 pm IST)