સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

ભાવનગરમાં કોરોનાના વધુ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા

શહેરના બોરડીગેટ, આનંદનગર, સરીતા સોસાયટી વિગેરે વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા

( વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર : ભાવનગરમાં કોરોના એ તેજ ગતિ પકડી છે. આજે પણ જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં નવ કેસ નોંધાયા છે જેમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ છે. આ ઉપરાંત આજે શહેરના બોરડીગેટ, આનંદનગર, સરીતા સોસાયટી વિગેરે વિસ્તારમાં કોરોના ના કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં ઘોઘા અને મહુવામાં કોરોના બે કેસ નોંધાયા છે. હવે ભાવનગરના ઘોડાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 71 થવા પામી છે.

(8:03 pm IST)