સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

વાંકાનેરમાં રઘુવંશી સમાજ દ્વારા પ્રસાદ વિતરણ

 વાંકાનેરઃ શ્રી રઘુવંશી સમાજ દ્વારા શ્રી જલારામ જયંતીના પાવન પર્વે વાંકાનેરના મેઈન માર્કેટ ચોકમાં સમસ્ત વાંકાનેરની પ્રજાજનોને ગુંદી, ગાંઠીયાનો મહાપ્રસાદ વિતરણ સવારથી કરવામાં આવેલ છે. જેમા પૂજ્ય બાપાની મૂર્તિનું પૂજન અર્ચન સવારના સહુ રઘુવંશીઓએ કરેલ તેમજ જય જય જલારામના નાદથી પ્રસાદ વિતરણ કરતા રઘુવંશી અગ્રણી જીતુભાઈ સોમાણી, તેમજ લોહાણા મહાજનના પ્રમુખશ્રી તેમજ જ્ઞાતિના સર્વે ભાઈઓ પ્રસાદ નજરે પડે છે.

(10:31 am IST)