સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

માણાવદરમાં પૂ. જલારામબાપા જન્મ જયંતિની ઉજવણી-રકતદાન

 માણાવદરઃ માણાવદરમાં જલારામ જયંતિના આગલા દિવસે રાત્રે દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૧૫૦થી વધુ ભાવિકોએ માસ્ક, સેનેટાઈઝર સાથે સરકારશ્રીના નિયમોનું પાલન કર્યુ હતું. રોયલ ડીજેના તાલે રાસ-ગરબાની રમઝટ બોલી હતી. જલારામ મંદિરના સાનિધ્યમાં આયોજીત રકતદાન કેમ્પમાં તમામ સમાજના લોકોએ બ્લડ ડોનેટલ અને ૧૦૬ બોટલ બ્લડ એકત્રીત થયેલ હતુ. આ એકત્રીત થયેલ બ્લડ સિવિલમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે ઉપયોગ આવી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સફળ બનાવવા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી લોહાણા મહાજન, શ્રી રઘુવંશી મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી (તસ્વીર-અહેવાલઃ પી.એસ. રૂપારેલીયા-માણાવદર)

(10:32 am IST)