સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

ભાવનગરના હિમાલયા મોલના આસી. મેનેજરે કરેલો આપઘાત

ભાવનગર તા. ર૪ :.. ભાવનગરમાં હિમાલીયા મોલનાં ગોડાઉનમાં પંખાના હુક સાથે ગળફાંસો ખાઇ આસી. મેનેજરે આપઘાત વહોરી લીધો હતો.

વિગતો મુજબ શહેરનાં સિદસર રોડ ગાયત્રીનગરમાં રહેતાં અને વિકટોરીયા પાર્કની સામેનાં હિમાલયા મોલમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ છોટુભા જાડેજા એ મોલનાં ગોડાઉનમાં જઇ પંખાના હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા વ્હોરી લીધી હતી.

આ બનાવની જાણ થતા જ પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે.

હિરાઘસુ યુવાનનો આપઘાત

ચિત્રા વિસ્તારમાં રહેતાં વિપુલભાઇ પાંચાભાઇ રાઠોડ ઉ.૩પ નામનાં હીરાના કારખાનામાં  કામ કરતાં યુવાને આર્થિક સંકડામણથી કંટાળી જઇ તેનાં ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

(3:26 pm IST)