સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

જુનાગઢની આસ્થા હોસ્પિટલના ડો.ચિંતન યાદવ દ્વારા જન્મદિનની સેવાકાર્યો સાથે ઉજવણી

જુનાગઢ, તા.૨૩: જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુખનાથ ચોક, નરસિંહ મહેતાના ચોરા પાસે આવેલ ઘરવિહોણા માટેનુ આશ્રય સ્થાન ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ નિદાન કેમ્પમાં 'સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા 'આસ્થા હોસ્પિટલ અને આઈ.સી.યુ.ના ડૉ. ચિંતન યાદવ તથા સ્ટાફ દ્વારા બપોરના ૦૧ થી ૦૪ વાગ્યા સુધીમાં તમામ લોકોનુ ફ્રીમાં ડાયાબિટીસ, ર્ણ્ણુી૧ણૂ, બીપી, લોહી, હૃદયને લગતી તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રી રાજેશ તન્ના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહાનગરપાલિકાના ડૉ. વિપુલભાઈ મોરજરીયા, શ્રી વિરલભાઈ જોશી, જીગ્નેશભાઈ પરમાર, સંજય બુહેચા, વાસુભાઈ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.(અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(11:33 am IST)