ધોરાજી નજીક આવેલા કેરાળી ગામે વિશ્વેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવ પ્રસંગે વિશાળ ધર્મસભા યોજાઈ
શ્રી ૧૦૦૮ શ્રી ઘનશ્યામ દાસજી બાપુનું તેજાબી વકતવ્ય:સાંસદ રમેશભાઈ ધડુકની ઉપસ્થિતિ:પાકિસ્તાન સામે પણ અંગુલી નિર્દેશ કરી જણાવેલ કે ભારત પાસે રહેલ પરમણું બોમ્બ એ દિવાળી પર ફોડવાનો ફટાકડો નથી એ પણ પાકિસ્તાન સમજી લે:શ્રી ૧૦૦૮ મહંત ઘનશ્યામ દાસજી મહારાજ
(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી :ધોરાજી અને જેતપુર વચ્ચે આવેલગામ કેરાળી ત્રિવેણી સંગમ તીર્થ ગણાતા વિશ્વેશ્વર મહાદેવ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવનાં બીજા દિવસે યજ્ઞ પૂજા સાથે વિશાળ ધર્મસભા યોજાઈ હતી.
મંદિરના મહંત મધુસૂદન દાસજી બાપુ ની નિશ્રામાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાંથી સાધુ સંતો મહંતો હાજર રહ્યા હતા. ધર્મસભામાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ની ઉપસ્થિતિ વચ્ચે ધર્મસભામાં ગોપાલ દાસ બાપુ એ જણાવેલ કે વર્તમાન સમયમાં ધર્મ, શાસ્ત્ર અને સંતો વિકટ સંઘર્ષ માંથી પસાર થઈ રહ્યા છે. જોકે સમય અનુસાર સર્વે શુભ એને મંગળકારી થઈ રહેશે.
હિન્દુ સનાતન ધર્મ વિશે તેજાબી વકતવ્ય આપતા શ્રી ૧૦૦૮ મહંતશ્રી ઘનશ્યામ દાસજી મહારાજ એ ધર્મસભામાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેની આવશ્યકતા છે. બન્ને ધર્મના અભિન્ન અંગ છે. ભારત હિન્દુ રાષ્ટ્રના નિર્માણ તરફ લઈ જવાની ચિંતા અને પ્રયત્ન સૌ એ સાથે મળી કરવો પડશે.કાશી વિશ્વનાથ કોરિડોરની પ્રશંસા કરવાની સાથોસાથ મથુરા ખાતે આવેલ મસ્જિદ વિષે ટિપ્પણી કરી જણાવેલ કે મથુરા તો કૃષ્ણ નગરી છે. કૃષ્ણ જન્મભૂમિ છે. ત્યાં પણ હજુ અનેક અવરોધો છે જે દૂર કરવા રહેશે. હિન્દુ ધર્મનું જતન, હિન્દુ સંસ્કૃતિ રક્ષા અને હિન્દુ સંસ્કાર પરંપરાને આગળ ધપાવવા સંતોનો ઉપદેશ અને માર્ગદર્શન જરૂરી છે.
આ ઉપરાંત પાકિસ્તાન સામે પણ અંગુલી નિર્દેશ કરી જણાવેલ કે ભારત પાસે રહેલ પરમણું બોમ્બ એ દિવાળી પર ફોડવાનો ફટાકડો નથી એ પણ પાકિસ્તાન સમજી લે.
આ ઉપરાંત ધર્મસભામાં રામદયાલ દાસજી મહારાજ, રામ ભૂષણ દાસજી બાપુ, ભગવાન દાસજી બાપુ, વિષ્ણુ દાસ બાપુ, બંસિદાસ બાપુ, લક્ષ્મીદાસ જી બાપુ, હરિદાસ જી બાપુ, વિષ્ણુ પૂરીબાપુ જૂના અખાડા, મહંતશ્રી ઋષિ કુમારી, મહંત તારા પૂરી બાપુ, સહીત સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માંથી સાધુ સંતો મહંતો ધર્મસભામાં ઉપસ્થિત રહી હિન્દુ સનાતન ધર્મ વિશે ઉદબોધન અને માર્ગદર્શન આપ્યું હતું.
ધર્મસભા બાદ સંત ભોજન અનેબહોળી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ ભાવિકો શ્રદ્ધાળુ ઓ એ લીધો હતો