સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરી જૂનાગઢ જિલ્લાના પ્રવાસે

કૃષિ યુનિવર્સિટીના પશુ સંવર્ધન (ગીર ગાય) કેન્‍દ્રની મુલાકાત લેશે : અંબાજી માતાજીના દર્શને જશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૫ : ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી એક દિવસ માટે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તા. ૨૫/૧/૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પશુ સંવર્ધન (ગીર ગાય) કેન્‍દ્રની મુલાકાત લેશે અને બાદમાં ૧૩:૩૦ કલાકે ગીરનાર પર્વત પર અંબાજીના દર્શને જશે.

(10:47 am IST)