સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

જૂનાગઢમાં રવિવારે નેત્ર-દંત યજ્ઞ તથા અન્‍ય સારવાર કેમ્‍પ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૨૫ : શ્રી ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્‍ટ, ગાયત્રી શકિતપીઠ-જૂનાગઢ ખાતે દર મહીનાના ચોથા શનિવાર ની જેમ તા.૨૮  સવારે નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, તથા અન્‍ય સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

 નેત્રયજ્ઞ માટે વિરનગરના ડોકટરોની ટીમ આવશે. દંતયજ્ઞ,તથા અન્‍ય સારવાર માટે સીવીલ હોસ્‍પિટલ ના આસીસ્‍ટન સર્જન   કરંગીયા  તથા જિલ્લાના આરોગ્‍ય અધિકારી વારાહેબ ની ટીમ ડાયાબિટીસ, હૃદય તથા સર્વરોગ નિદાન માટે ઉપસ્‍થીત રહેશે.તેની યાદી નાગભાઇ સી. વાળા(મેનેજીંગ ટ્રસ્‍ટી)  એ જણાવેલ છે. મો. ૮૧૬૦૨ ૩૦૯૩૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

(11:06 am IST)