ભાવનગર નજીક ત્રાપજ બંગલા પાસે ખૂંટિયો આડો ઉતરતા યુવાનનું મોત
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૫: ભાવનગર શહેર અને જિલ્લામાં રેઢિયાળ ઢોરના ત્રાસથી મહામૂલી માનવ જિંદગી હણાઈ રહી હોવાનો વધુ એક બનાવ ભાવનગર નજીક ત્રાપજ બંગલા પાસે બન્યો છે. જેમાં રોડ ઉપર ખૂંટિયો આડો ઉતરતા યુવાનનું મોત નીપજ્યું હતુ.
પ્રાપ્ત માહિતી થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજાના ત્રાપજ ગામે રહેતા રિયાઝભાઈ રહિમભાઈ કાલવાતર ઉં.વ. ૨૦ ફોરવ્હીલ લઈને ત્રાપજ બંગલા પાસે રિલાયન્સ પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ રસ્તા પર ખૂંટિયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જે બનાવમાં ગંભીર ઈજા પામેલા યુવાનને સારવાર અર્થે ભાવનગર સર ટી.હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે રિયાઝમાઈ કાલવાતરને મળત જાહેર કર્યા હતા.