કોડીનાર શહેરમાં ગઠીયા ટોળકી સક્રિયઃ વેપારીનું ધ્યાન ચૂકવી રોકડ સેરવી પલાયન
(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા.૨૫ : કોડીનાર શહેર ના લાયબ્રેરી શોપિંગ સેન્ટરમાં દેના બેંકની નીચે આવેલ ઠા.મનસુખલાલ મોહનલાલ ની પાન બીડી ટોબેકોના હોલસેલ વેપારી ને ત્યાં દુકાન ખોલી ત્યારે માલ ખરીદી કરવા આવી માલ કાઢવા માં ઉતાવળ કરાવી હજ પડવા જાવું છે છૂટા પૈસાની માંગણી કરતા વેપારીએ છૂટા પૈસા ગણી ને કાઢી આપતા ત્યારે વધુ માલ ખરીદી ની વાત કરી વેપારી માલ આપે તે દરમ્યાન કાઢેલા પૈસા માં થી રૂ.૩૦૫૦૦ ની ૫૦૦ વાળી નોટો સેરવી હમણાં આવું કહી પલાયન થઈ જતાં લાંબા સમય સુધી માલ લેવા પરત ન આવતા વેપારી ને શંકા જતાં ગલા ના પૈસા ગણાતા પૈસા ૩૦૫૦૦ સિલક માં ઓછા માલૂમ પડતાં વેપારી એ આ અંગે પોલીસ અને ચેમ્બર ને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિઠ્ઠલાણી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ થી વેપારીઓ ને સાવચેત રહેવા અપીલ કરી છે.