સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

દામનગર થી ભટવદર અને રાભડા ગામે ૪.૭૭ કરોડના રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા

લાઠી બાબરા દામનગર ના નવનિયુકત જાગૃત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા વિકાસના કામોને બહાલી આપવામાં આવી રહી છે સતત લાઠી બાબરા દામનગર વિધાનસભા વિસ્તારમાં જે લોકો ની વર્ષો થી માંગ હતી રોડ રસ્તા ની તેવા રોડ રસ્તા ના કામો તેમજ વિવિધ વિકાસ ના કામો બાબતે ચર્ચા કરી સતત પ્રયત્ન કરી જાગૃત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરી કામોને મંજુર આપવા આવે છે દામનગર થી ભટવદર અને રાભડા ગામ ના લોકો રજુઆત ને ધ્યાનમાં રાખીને તત્કાળ ધોરણે રૃપિયા ૪ કરોડ,૭૭ લાખ ના ખર્ચે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત ભટવદર અને રાભડા ગામના રોડનંુ ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે ગામનાં સરપંચ  આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીર-અહેવાલ : દિપક કનૈયા, બાબરા)

(11:43 am IST)