સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th March 2023

ઓખામાં રામદેવજી મંદિરે અન્નકોટના દર્શન યોજાયા

ઓખા : ચૈત્રીબીજ પ્રસંગે ઓખા ખારવા સમાજ દ્વારા રામદેવજી મંદિરે અન્નકોટના દર્શન રાખવામાં આવેલ તેમજ અન્નકોટ રાખવામાં  સાથે ગુજરાત રાજ્‍ય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાહેબ નો જન્‍મદિવસ હોય ત્‍યારે  સાંજે મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવેલ. આ તકે ખારવા સમાજના પ્રમુખ અને ઓખા નગરપાલિકા ના શાસક પક્ષના નેતા મુકેશભાઈ પાંજરીવાલા,દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠીયા, ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્‍યાબેન ફોફંડી તેમજ ગ્રામ જનો હાજર રહ્યા હતા.રામદેવજી મંદિરે અન્નકોટની મહાઆરતી કરી ત્‍યારે ઓખા ખારવા સમાજના પ્રમુખ મુકેશભાઈ પાંજરીવાલા સાથે વાત કરતા જણાવ્‍યું કે રામદેવજીના ચરણોમાં પ્રાર્થના કરેલ કે ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ખૂબ આગળ વધે અને નાનામાં નાના માણસોની સેવા કરવાની શક્‍તિ બનાવી રાખે. આ મહાઆરતીના દર્શનનો સમગ્ર ગ્રામ જનોએ લાભ લઈ ધન્‍યતા અનુભવી. આ સમગ્ર કાર્યક્રમ ને મુકેશભાઈ પાંજરીવાલા અને કારોબારી કમીટી મેમ્‍બરો સાથે મળીને સફળ બનાવ્‍યો.(તસ્‍વીર - અહેવાલ ભરત બારાઈ ઓખા)

(10:30 am IST)