News of Saturday, 25th March 2023
માળીયાહાટીનામાં રામ મંદિરના લાભાર્થે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ યોજાશે
(મહેશ કાનાબાર દ્વારા) માળીયા હાટીના તા. ૨૫ : આગામી તા. ૩૦ થી તારીખ ૭ સુધી નવ દિવસ સુધી શ્રી રામ મંદિરના લાભાર્થે રૂદ્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન ગામના સાત સહકારથી કરવામાં આવેલ છે. આ કથાના વક્તા પદે ચોરવાડવાળા ભીખુ બાપુ ગોસ્વામી બિરાજે સંગીત સાથે કથાનું મધુર રસપાન કરાવશે.
આ મહોત્સવ અંતર્ગત શ્રી મહાદેવ નું પ્રાગટય શિવદેવીનું પ્રાગટય શિવ પાર્વતી લગ્ન કાર્તિકેય સ્વામી નો જન્મ સહિતના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.ે આ કથા શ્રવણનો લાભ લેવા આયોજક સમિતિએ જણાવેલ છે કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ત્રણથી છનો રાખેલ છે.
(10:55 am IST)