સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

મોરબી સ્થિત રંતીદેવ ચેરી. ટ્રસ્ટ તથા વાલ્મિકી સેવા સમિતિ દ્વારા શુક્રવારે આઠમો સમૂહલગ્નોત્સવ યોજાશે.

આગામી તા.27ને શુક્રવારે ૮મો સમૂહ લગ્નોત્સવ સીટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલરોડ, મોરબી ખાતે યોજાશે

 મોરબી :રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વાલ્મિકી સમૂહ લગ્ન સેવા સમિતિ દ્વારા આગામી તા.27/5/2022ને શુક્રવારે ૮મો સમૂહ લગ્નોત્સવ સીટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલરોડ, મોરબી ખાતે યોજાશે. ભોજનના મુખ્ય દાતા રંજનબેન અને પી.ડી.કાંજીયા તથા ક્રિષ્નાકુમાર કાંજિયા છે.
સમૂહ લગ્નોત્સવના માંગલિક અવસરોમાં મંડપ મુહૂર્ત સવારે 9:00 કલાકે, હસ્તમેળાપ સાંજે 5:30 કલાકે, દીપ પ્રાગટ્ય 6:00 કલાકે, પ્રાર્થના 6:15 કલાકે, આશીર્વચન 6:30 કલાકે, સન્માન સમારોહ 6:45 કલાકે તેમજ ભોજન સમારંભ રાત્રે 8:00 વાગ્યે યોજાશે.
મુખ્ય અતિથિઓમા જયંતીભાઈ કવાડિયા, દુર્લભજીભાઈ દેથરીયા, લાખાભાઈ જારીયા, મંજુલાબેન દેત્રોજા, નરેન્દ્રસિંહ જાડેજા સહિતના અનેક રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. દીકરીઓને કબાટ, સેટી, ચાંદીના સાંકડા સહિત 77થી વધુ ચીજવસ્તુઓ કરિયાવર રૂપે દાનમાં અપાશે

(10:36 pm IST)