સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th June 2021

મોરબી : કોરોના મુક્ત બનવાથી ખુબ નજીક ૦૨ દર્દી સ્વસ્થ, હવે માત્ર ૦૪ એક્ટીવ કેસ

મોરબી જીલ્લો કોરોના મુક્ત બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે જીલ્લામાં આજે પણ કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી જયારે બે દર્દીઓ સ્વસ્થ થયા છે
આજે મોરબી જીલ્લાના તમામ પાંચ તાલુકામાં રાહત જોવા મળી છે આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે મોરબી તાલુકામાં વધુ ૦૨ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં હવે એક્ટીવ કેસનો આંક માત્ર ૦૪ રહ્યો છે અને મોરબી જીલ્લો જલ્દીથી કોરોના મુક્ત બની જશે તેવી આશા સેવાઈ રહી છે

(10:37 pm IST)