જુનાગઢના કલેકટરે ગિરનારની યાત્રા કરી
જુનાગઢ : જિલ્લાના નવનિયુકત જિલ્લા કલેકટર રચીત રાજે ચાર્જ સંભાળ્યાની સાથે નરસૈયાની ગિરનાર મા અંબેના દર્શન કરવા ઉષા બે્રકો કંપનીના ઉડન ખટોલામાં યાત્રા કરી માતાજીની પુજા કરી હતી અને જિલ્લાના વિકાસ માટે અને પ્રજા લક્ષી કાર્યો કરવા માટેની નેમ સાથે માતાજીને પ્રાર્થના કરી હતી અને મંદિરટ્રસ્ટના બંને મહંત પુજય તનસુખગીરીબાપુ અને પુજય ગણગતગીરીબાપુ વતી મંદિરના પુજારીએ માતાજીની ચુંદડી પ્રસાદ સ્વરૂપે અર્પણ કરી સ્વાગત સાથે માતાજીના આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા. અને મંદિર પરિસરનું નિરીક્ષણ કરી યાત્રિકોની સુખાકારી માટે પ્રશાસન શું કરી શકે અને સરકારના યાત્રા ધામ વિકાસ માટે શું થઇ શકે તેની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને તેમની સાથે યાત્રા ધામના અધિકારી અને પ્રાંત અધિકારી અને કોર્પોરેટર એભાભાઇ કટારા અને રોપવેના મેનેજર પટેલ સાથે રહયા હતા.