આંબરડીના મેવાસા ગામે કન્યા કેળવણી રથ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ
જામ-જોધપુર : તાલુકાના આંબરડી મેવાસા ગામે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યાકેળવણી રથના ભવ્ય કાર્યકમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન બ્રીજરાજસિંહ જાડેજા, તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ જાવિયા, આર એન્ડ બી. વિભાગ જામનગરના છૈયા, આસી. એન્જીનયર દર્શનભાઈ ક્ટારીયા, પરડવા આચાર્ય ડેનીસાબહેન બાવીસી, સી.આર.સી. સ્ટાફ ધ્રાફા તથા શાળાના આચાર્ય, સ્ટાફ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા કાર્યકમનું દિપ પ્રાગટય તેમજ વિદ્યાર્થી દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. મહેમાનો દ્વારા બાળકોને શાળા પ્રવેશોત્સવ અપાયો હતો તથા જામ - જોધપુર માર્કેટીંગ યાર્ડ દ્વારા શાળા પ્રવેશ લેનાર બાળકોને દફ્તર અને અભ્યાસ સામગ્રીની કીટ આપવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા ધોરણ ૧ થી ૮માં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી વળક્ષારોપણ કરાયું હતું.