સાવરકુંડલાઃ ઈદ- ઉલ- અદહા તહેવાર મુદ્દે રજૂઆત
(ઈકબાલ ગોરી દ્વારા), સાવરકુંડલા,તા.૨૫: ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય જાવેદ પીરઝાદા અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું છે કે તહેવાર હોઈ રાજયના પોલીસ વડાશ્રી દ્વારા પરિપત્ર બહાર પાડી ઈદુલ અદહાના તહેવારને ધ્યાને લઈ, ગાય કે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી કે કતલ ના થાય તે જોવા સૂચના આપેલ છે. વધુમાં ગાય કે ગૌવંશની સિવાયના પશુઓની થતી હેરફેર કરનાર વ્યકિત પાસેથી કાયદાથી નિર્દિષ્ટ થયેલ પરવાના (વેલીડ પરમીટ) હોય તો તેઓને કોઈ કનડગત ન થાય તે સુનિશ્ચિત કરવવા સંબંધિત તમામને સૂચના આપી જાણ કરવામાં આવી છે.
રાજકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ અને એડવોકેટસના પ્રતિનિધિ મંડળ દ્વારા રેન્જ આઈ.જી., પોલીસ અધિક્ષકશ્રીઓ, પોલીસ કમિશનરશ્રીઓ તથા જિલ્લા પોલીસ વડાશ્રીઓને પરિપત્રની કોપી લઈ અચૂક આવેદનપત્ર આપવા વિનંતી કરેલ છે તથા સ્થાનિક સ્તરે જવાબદાર પોલીસ અધિકારીઓના મોબાઈલ નંબર મેળવી લેવા જણાવેલ છે.