એક જ ઘરના બે પરિવારો વચ્ચે સામાન્ય વાતમાં જૂથ અથડામણ સર્જાતા
ચોટીલામાં ઘાંચી યુવાનની હત્યા : માતા ગંભીર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૫ : ચોટીલા ખાતે આજે સવારના સમયે ઘાંચી વાડ વિસ્તારમાં જૂથ અથડામણ થવા પામી છે. આ જૂથ અથડામણમાં એક યુવાનની હત્યાનો બનાવ બન્યો છે. હત્યામાં મૃત્યુ પામેલાની માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક અસરે ચોટીલા સારવાર આપી રાજકોટ ખસેડવામાં આવ્યા છે. ચોટીલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા દિનપ્રતિદિન કથળી રહી છે ત્યારે સામાન્ય બાબતોને ધ્યાનમાં લઇ અને રોજ-બ-રોજ ઝઘડાઓ આને નાના મોટા બનાવો જિલ્લામાં બનતા જ રહે છે ત્યારે ચોટીલા ગામ ઘાંચીવાડ વિસ્તારમાં એક જ ઘરના બે પરિવારો વચ્ચે સામાન્ય વાતમાં કોઇ અગમ્ય કારણોસર ઝઘડો થતા એક જ કોમના બે જુથોમાંથી એક યુવાન ફેજલ ભાઈ કાળુભાઈ નામના યુવાનની આ ઝઘડામાં હત્યા થઈ ગઈ છે જયારે તેના મમ્મી જુબેદાબેન ગંભીર ઈજાઓ પહોંચતા તેમને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સામે પક્ષના લોકો હત્યાનો આરોપી હાલમાં નાસી છુટયો હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઘાંચીવાડ વિસ્તારમાં ભારે સન્નાટો મચી જવા પામ્યો છે.