News of Friday, 25th September 2020
રણજીતગઢ હરિકૃષ્ણધામમાં વચનામૃત જયંતિ ઉજવાઇ
હળવદ : હળવદ પાવન પુરુષોત્ત્।મ માસ નિમિત્ત્।ે રણજીતગઢ ગામ પાસે આવેલા હરિકૃષ્ણધામ ખાતે વચનામૃત જંયતિ નિમિત્ત્।ે મહાપુજાનુ આયોજન કરવામાં આવેલ.વચનામૃતનુ સમુહ પાઠન કરવામાં આવેલ. તપોમૂર્તિ સદ ભકિતહરિદાસજી સ્વામી સાનિધ્યમાં સંતો તથા હરિભકતો ની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ ના મુખે બોલાયેલા શબ્દો કથા-વાર્તા નું પઠન કરવામા આવેલ તેમજ હોમાત્મક મહાપુજા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ તેમજ લીલાપુર ગામના હરિભકતો દ્વારા ૧૦૮ કલાક ની સ્વામિનારાયણ મહા મંત્રની ધુન પણ યોજવામાં આવેલ ભકિત હરીદાસજી સ્વામી એ આશીર્વાદ આપતા કહે છે કે અન્ન એ દેહ નો ખોરાક છે દેહ તેનુ જીવન છે તેવીજ રીતે સત્સંગ એ આત્માનો ખોરાક છે અને આત્મા એ જીવન છે. (તસ્વીર : હરીશ રબારી, હળવદ)
(11:43 am IST)