સાયલાના સેવાભાવી ભુપતભાઇ કોરોનાથી મૃત્યુ થતા બજારો બંધ રહી
વઢવાણ, તા. રપ : સાયલાના સેવાભાવી ભુપતભાઈ વિરસીંગભાઈ ડોડીયા નો કોરોના ના કારણે મોત નિપજતા સાયલા ની બજારો સૂમસામ બની
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના સેવાભાવી અસાધ્ય દર્દીઓ માટે મસીહા બની અને કામ કરતા ભુપતભાઈ વિરસીંગભાઈ ડોડીયા ઉંમર વર્ષ ૫૪ વર્ષના ભુપતભાઈ ડોડીયા અસાધ્ય રોગના અનેક દર્દીઓ માટે મશીન હતા શાળા આરોગ્ય માં પણ સૌથી વધુ બાળકોને તેઓ સારવાર માટે લઈ ગયા હતા જેમની એક આગવી ઓળખ સમાજ સેવક તરીકે સાયલામાં બની હતી આ કોરોનાની મહામારી અને ભયંકર રોગચાળો સાબિત થયેલો કોરોના વાયરસ મા આ ભુપતભાઈ વિરસીંગભાઈ ડોડીયા કોરોનાવાયરસ માં સપડાતાં તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા સાયલામાં વ્યાપારી આલમ તેમજ શાળાના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી ત્યારે સાયલા ગામ ના તમામ વેપારીઓ દ્વારા બજારો બંધ રાખી હતી અને તેમના નિધનથી શોક વ્યકત કરવામાં આવ્યો હતો.