સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

અમરેલીમાં કોરોના ૧નું મોત : ૧૪ને ડીસ્ચાર્જ

અમરેલી, તા.રપ : લોકડાઉન પછી અનલોકમાં હવે સંપૂર્ણ રીતે ધબકતા જનજીવન વચ્ચે કોરોના અનેક લોકોને ઝપટે લઇ રહ્યો છે. ગુરૂવારે અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ર૮ કેસ આવ્યા હતાં અને એકનું મોત નિપજયું હતું. અમરેલીમાં સારવાર દરમિયાન સાવરકુંડલાના મોટા ઝીઝુડાના ૮૦ વર્ષના પુરૂષ દર્દીનું મોત થયું હતું. જયારે કોરોનાની સામે લડીને સાજા થયેલા ૧૪ દર્દીઓને રજા આપવામાં આવી હતી. જયારે આજના ર૮ કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૯૦૯ થઇ છે.

(12:51 pm IST)