સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

પોરબંદર જિલ્લામાં કોરાનાથી વધુ એક દર્દીનું મૃત્યુઃ નવા ૧૧ પોઝીટીવ કેસ

(સ્મીત પરેખ દ્વારા) પોરબંદર તા. રપ : જિલ્લામાં કોરાનાથી વધુ એક દર્દીઓનું સારવાર દરમિયાન દરમિયાન મૃત્યુ નીપજયું હતુ. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાથી કુલ પ૯ દર્દીઓનો ભોગ લેવાયો હતો.

ગઇકાલે કોરાનાના શંકાસ્પદ પ૯પ કેસના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ૧૧ કેસના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતા આ નવા ૧૧ પોઝીટીવ કેસ સત્યનારાયણ મંદિર વિસતાર, ખાપટ, જોશીપુરા, છાંયા રાણાકોરણા, શ્રીનગરમાંથી આવ્યા છે હાલ સિવિલ હોસ્પિટલમાં કોરાનાના પ૭ દર્દી સારવાર લઇ રહેલ છે જિલ્લામાં કોરાના અંગે ૩ર૧૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(12:54 pm IST)