સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

ગીરનારના અંબાજી મંદિરે લાઇટ કનેકશન બે દિ'માં આપો નહિં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન

નવરાત્રી નજીક આવી રહી હોય અંધારામાં જ આરતી કરવાની? મહંત તનસુખગીરીબાપુ

જુનાગઢ તા. રપઃ ગિરનાર પર આવેલ માં અંબાજી માતાના મંદિરે છેલ્લા ૧પ દિવસથી લાઇટનું કનેકશન નથી ત્યારે મહંતશ્રી તનસુખગીરીબાપુએ અવારનવાર પી.જી.વી.સી.એલ.ને રજુઆતો કર્યા છતાં પણ કોઇ કાર્યવાહી થતી ન હોવાનાું જણાવેલ. નવરાત્રી નજીક આવે છે ત્યારે અંધારામાં જ આરતી કરવાની છે એ પણ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સ્પષ્ટ કરે. મહંતશ્રી તનસુખગીરી બાપુ દ્વારા આ બાબતે બે દિવસનું એલટીમેટમ આપેલું છે અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે આગળના વિરોધના કાર્યક્રમ આપવામાં આવશે તેમજ સમસ્ત સાધુ સમાજ અને મહંતો આ બાબતે એક થઇને કાર્યક્રમો આપી શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

(1:00 pm IST)