જામકંડોરણાના ગરાસીયા પ્રોૈઢ અનિરૂધ્ધસિંહ જાડેજા પર અત્યાચાર ગુજારનાર પીએસઆઇ જે. યુ. ગોહિલ સામે ગુનો દાખલ કરાયો
રાજકોટ તા. ૨૫: જામકંડોરણાના ગરાસીયા પ્રોૈઢ અનિરૂધ્ધસિંહ દોલુભા જાડેજા પર પોલીસ મથકમાં ગુજારવામાં આવેલા અત્યાચાર મામલે તેમના પુત્ર દિગુભા જાડેજાએ રેન્જ આઇજી અને જીલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હતી. વીસ દિવસ સુધી કોઇ કાર્યવાહી ન થતાં ગૃહમંત્રીના બંગલે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી આપી હતી. દરમિયાન આ પ્રકરણની તપાસ રૂરલના ઇન્ચાર્જ એસપી પ્રવિણકુમાર મીણાએ ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાને સોંપતા તપાસમાં ગરાસીયા પ્રોૈઢ અનિરૂધ્ધસિંહ જાડેજા પર અત્યાચાર ગુજારાયાનું ખુલતાં તેમના પુત્ર દિગુભાની ફરિયાદ પરથી જામકંડોરણા પોલીસે પીએસઆઇ જે. યુ. ગોહિલ સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. અત્રે નોંધનીય છે કે ગરાસીયા પ્રોૈઢ અનિરૂધ્ધસિંહ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.