સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th September 2021

પોરબંદરના કાટવાણામાં જૂની અદાવતથી ફાયરીંગ : ત્રણ ઘવાયા : ઇજાગ્રસ્તોને પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

પોરબંદર જિલ્લાના કાટવાણામાં જૂની અદાવતથી બંદુકમાંથી ફાયરિંગ કરતા કાના જીવ ગુરગુટીયા ,પાલા હીરા મોરી અને ચના જીવ ઉર્ફે દેવા જીવા ત્રણેયને ઇજા પહોંચી હતી, ત્રણેયને પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે પોલીસ ઘટના સ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે

(8:50 pm IST)