સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની હડફેટે યુવાનનું મૃત્‍યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૪ : તાલુકાના હંસ્‍થળ ગામે રહેતા ભીખુરામ વીરદાસ ગોંડલીયા નામના ૪૯ વર્ષના યુવાન સોમવારે રાત્રિના આશરે ૮:૩૦ વાગ્‍યાના સમયે તેમના જીજે-૧૦બી.એફ૧૨૪૯ નંબરના મોટરસાયકલ પર બેસીને જઇ રહ્યા હતા. ત્‍યારે ખંભાળિયાથી આશરે દસ કિલોમીટર દૂર હંસસ્‍થળ ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઇપૂર્વક આવી રહેલા જીજે-૩એચકે૩૪૧૦ નંબરના અર્ટિકા મોટરકારના ચાલકે ભીખુરામભાઇ ગોંડલીયાના મોટરસાયકલ સાથે ધડાકા અકસ્‍માત સર્જ્‍યો હતો.

આ જીવલેણ ટક્કરમાં બાઇક ચાલક ભીખુરામભાઇનું કરૂણ મૃત્‍યું નીપજ્‍યું હતું. જ્‍યારે તેમની મોટરસાયકલની પાછળ બેઠેલા ઉકાભાઇ ભરવાડને પણ ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ સાથે સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્‍યા હતા. આ સમગ્ર બનાવવા અંગે મૃતકના નાનાભાઇ પ્રવિણદાસ વીરદાસ ગોંડલીયા (ઉવ.૪૨) રહે. હંસ્‍થળની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ અર્ટિકા મોટરકારના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિજશોક લાગતા ભોગાતના યુવાનનું અપમૃત્‍યુ

કલ્‍યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા દીપકભાઇ પોપટભાઇ ઘેડિયા નામના ૩૭ વર્ષના પ્રજાપતિ યુવાન ગઇ કાલે બુધવારે રાત્રિના સમયે સતાપર ગામના પાટીયા પાસે પડતર જમીનમાં આવેલી વીજલાઇનમાં વીજ રીપેરીંગ કામ કરી રહ્યા હતા. ત્‍યારે તેમને વીજળીનો જોરદાર કરંગ લાગતા તેમનું મૃત્‍યુ નીપજ્‍યું હતું. આ બનાવવાની જાણ મૃતકના મોટાભાઇ રવિન્‍દ્રભાઇ પોપટભાઇ ઘેડીયાએ કલ્‍યાણપુર પોલીસને કરી છે.

(1:03 pm IST)