સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

ભાવનગરમાં જૈન વણિક વેપારીનો આપઘાત

ભાવનગર,તા. ૨૫: રૂપાની સર્કલ દેવડી પાસે પ્‍લોટ નંબર ૧૯૩૬ માં રહેતા ઉદયભાઇ બીપીનચંદ્ર મહેતા ઉં.વ. ૫૨ નામના વેપારીએ તેના ઘેર આજે સવારે પંખા ના હુક સાથે ચૂંટડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો .આ બનાવ અંગે બી.ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. મૃતક વેપારીએ બીમારીથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાનું પોલીસ ની પ્રાથમિક તપાસ માં ખુલવા પામ્‍યો છે.

ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લેવાના બીજા બનાવમાં કરચલીયા પરા મચ્‍છી બજારમાં રહેતા કમલેશભાઈ કિશોરભાઈ વાઘેલા (ઉં.વ. ૨૫)એ ગળાફાંસો ખાલી આત્‍મહત્‍યા હોળી લીધી હતી આ અંગે સી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. પિતા બીમાર હોય પોતે ટેન્‍શનમાં હોય યુવાને આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું છે.

(10:55 am IST)