રવિવારે અમરેલીમાં રમેશ પારેખના જન્મદિન નિમિતે 'કૈક લીલુચટ્ટાક તારી આંખમાં' કાર્યક્રમ
અમરેલી,તા. ૨૫ : અમરેલીમાં તા. ૨૭ને રવિવારે સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રી નવલકાંત જોષી સ્મૃતિ મંદિર, સુખનિવાસ કોલોની રોડ, ગણેશ સોસાયટી ખાતે સંવાદ-અમરેલી ઓરોમાં કલામંદિર અમરેલી દ્વારા કવિ રમેશ પારેખના જન્મદિને અમરેલીના નગરજનો દ્વારા વિશેષ સ્મરણાંજલી કાર્યક્રમ 'કૈક લીલુચટ્ટાક તારી આંખમાં' કાર્યક્રમ યોજાશે.
ર.પા.ની સર્જકતા વિશેષ ડો.પથિક પરમાર (સુપ્રસિધ્ધ સાહિત્યકાર, કવિ વિવેચક), વિશેષ કાવ્યાપાઠ કવિ જયેશ ભટ્ટ (ભાવનગર) (ર.પા.ની. મુદ્રાની. બેઠકના સહભાવક) બાંસુરી વાદન અનિલ ઠાકર (ર.પા. નો શબ્દને અ.ઠાની બાંસુરી) ર.પા.ની કવિતાનું પઠન જસ્મીન જોષી શબ્દ સેતુ પરેશ મહેતા રજુ કરશે. છેલભાઇ વ્યાસ, હર્ષદ ચંદારાણા, ભરત વિંઝુડા, ઉમેશ જોષી, ગણપતભાઇ ઉપાધ્યાય, વાસુદેવ સોઢા, રવજીભાઇ કાચા ઉપસ્થિત રહેશે.
સૌને ઉપસ્થિત રહેવા સ્વાતિબેન જોષી, રમાબેન દેસાઇ, ડો. સેન મેડમ અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર, સર્જક સેતુ પરિવાર, લોકસાહિત્ય સેતુ, અમરેલી, ગદા સાહિત્ય સભા, અમરેલી, સ્વયં સંચાલિત નાટય લેખન શિબિર ગ્રુપ-અમરેલી સૌરભ સાહિત્ય સંસ્થાન-રાજુલા, બાલકૃષ્ણ દવે સહિત્ય સભા, ચિત્તલ, કલાવાટિકા ફાઉન્ડેશન અમરેલી, મેઘાણી સાહિત્ય વર્તુળ-બગસરા, કવિ કાન્ત સાહિત્ય વર્તુળ છાલક સામયિક પરીવાર આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ-લાઠી દ્વારા આમંત્રણ પાઠવાયું છે