સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

ધરમપુર પાટીયે રિક્ષા પલ્ટી મારી જતાં કુતિયાણાના જેતાભાઇ કારાવદરાનું મોત

રાજકોટ તા. ૨૬: કુતિયાણામાં રસુલવાડી ખાતે રહેતાં જેતાભાઇ કાનાભાઇ કારાવદરા (ઉ.વ.૫૫)ને તા. ૧૦/૨ના રોજ પોરબંદર હાઇવે પર ધરમપુરના પાટીયા પાસે પિયાગો રિક્ષા પલ્ટી મારી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

જેતાભાઇ રિક્ષા હંકારી ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે અકસ્માતે પલ્ટી મારી જતાં તેમને ઇજાઓ થતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કાગળો કરી પોરબંદર પોલીસને મોકલ્યા હતાં.

મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ બે ભાઇમાં મોટા હતાં.

(11:26 am IST)