News of Thursday, 26th May 2022
રીબડામાં રાત્રે ભવ્ય સંતવાણીઃ દેવાયત ખવડ રાજભા ગઢવી સહિતના કલાકારો જમાવટ કરશે
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૬ :.. રીબડા ખાતે મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજા પરિવાર દ્વારા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે જેની આજે પુર્ણાહૂતિ થનાર છે.
ત્યારે આજે રાત્રે કથા સ્થળે રાત્રે ૯ કલાકે લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડ રાજભા ગઢવી, અનુભા ગઢવી, હકાભા ગઢવી, દેવરાજ ગઢવી હરદેવ આહિર, મનસુખ વસોયા સહિતના કલાકારો આજે જમાવટ કરશે.
(1:00 pm IST)