જસદણ વીંછિયામાં એસએસસીના પરિણામ વખતે કહી ખુશી કહી ગમ જેવો માહોલ : આગેવાનોએ શુભેચ્છા પાઠવી
(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા. ૨૬ : રાજયમાં ધો.૧૦નું પરિણામ આજે જાહેર થતાં આજે જસદણ વીંછિયા પંથકમાં વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો. આ વર્ષના પરિણામે છોકરીઓએ છોકરાને પાછળ ધકેલી દીધા હતા પરંતુ નાપાસ થયેલાં વિદ્યાર્થીઓના વાલીઓએ પરિક્ષા અને રિક્ષા આવતી જતી રહેશે તેમ કહી ટેકો કર્યો હતો. એસએસસીના પાસ વિદ્યાર્થીઓને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા, જસદણ જીઆઈડીસી એસોસિએશન અને જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ જાણીતા શિક્ષણવિદ્ જયંતભાઈ મોવલિયા અને આસ્થા સંકુલ પરિવારના શિક્ષકગણએ વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે શુભકામના પાઠવી હતી. એકંદરે એસએસસીના પરિણામે કહી ખુશી કહી ગમ જેવા માહોલ વચ્ચે પણ વિદ્યાર્થીઓને ધબકતાં રાખ્યાં હતાં.