સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th June 2022

ગુજરાત માલધારી મહાપંચાયતના મોરબી જીલ્લાના હોદેદારોની વરણી કરાઈ

જીલ્લાના કન્વીનર સહિતના હોદેદારોની વરણી

મોરબી :  ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ દ્વારા મોરબી જીલ્લાના કન્વીનર સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી છે
ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ દ્વારા વિવિધ હોદેદારોની વરણી કરી છે જેમાં મોરબી જીલ્લાના કન્વીનર તરીકે મનસુખભાઈ ધનજીભાઈ રબારી, મોરબી જીલ્લા સહ કન્વીનર તરીકે ધારાભાઇ રબારી, મોરબી જીલ્લા સહ કન્વીનર તરીકે કરશનભાઈ ભરવાડ અને મોરબી શહેર કન્વીનર તરીકે મનોજભાઈ ભગવાનજીભાઈ રોગિયાની નિમણુક કરી છે જે વરણી બદલ માલધારી સમાજના આગેવાનોએ શુભકામનાઓ પાઠવી છે.

   

(11:42 pm IST)