સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th July 2021

મોરબીમાં સીમા જાગરણ મંચ દ્વારા કારગીલ વિજય દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

એક્સ આર્મીમેન સુરેન્દ્રભાઈ બારેજીયા અને આરએસએસ અગ્રણી જયંતીભાઈ ભાડેશીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

મોરબી : સીમા જાગરણ મંચ મોરબી દ્વારા આજે વિજય કારગીલ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક્સ આર્મીમેન સુરેન્દ્રભાઈ બારેજીયા અને આરએસએસ અગ્રણી જયંતીભાઈ ભાડેશીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
  મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સુરેન્દ્રભાઈ બારેજીયા એક્સ આર્મી તથા ડો.જયંતીભાઈ ભાડેસિયા દ્વારા શ્રદ્ધાજંલી કાર્યક્ર્મ અનુરૂપ વાત કરવામાં આવી હતી જે પ્રસંગે સીમા જાગરણ મંચના સંયોજક સીએ રાજેશ એરણીયા, સહ સંયોજક મેહુલભાઈ ગામ્ભ્વા, હિરેનભાઈ વીડજા, ભુદરભાઈ એક્સ આર્મી, દિનેશભાઈ બારૈયા એક્સ આર્મી, મહેશભાઈ બોપલિયા, નરેન્દ્રભાઇ પોપટ, જ્યોતિસિંહ જાડેજા તેમજ સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

 

(9:54 pm IST)