રાજુલામાં પાંચાળી આહીર સમાજનું સંમેલન યોજાયું
રાજુલા : શહેરમાં રાજુલા આહીર પરિવાર ટ્રસ્ટ વાડી ખાતે એક આહિર સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં આમંત્રિત મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને આં કાર્યક્રમ ખુલો મુકવામાં આવેલ જેમાં નીટમાં સારા માકર્સ મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ ૯૮ વિધાનસભા મતવિસ્તાર રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારના પાંચાળી આહીર સમાજના કહેવાતા આગેવાનોનું વિશાળ સંમેલન યોજાયું આ સંમેલનમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને કરશનભાઈ કળસરિયા ને વલ્લભભાઈ લાડુમોર અમુલ ફ્રુટ્સ દ્વારા શિલ્ડ આપી સમાજના આગેવાનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ તકે શુકલભાઈ બલદાણીયા, બાબુભાઈ જાલંધરા, દેવાતભાઈ બલદાણીયા, ડોકટર વાઘમશી, પીઠાભાઈ નકુમ, લાલભાઈ મકવાણા, ડોકટર હડીયા, બાબુભાઈ વાણીયા, ધીરુભાઈ કાછડ , જે.ડી કાછડ, કનુભાઈ કલસરિયા, મેરામભાઈ, ભરતભાઈ સહિતના ગામે ગામ થી આગેવાનો પધારેલા તેમજ ૯૮ વિધાનસભા વિસ્તાર તેમજ દેશનું ભલું થાય તેવા સમાજના આગેવાનો દ્વારા સુર જોવા મળ્યા તેમજ આગળની રણ નીતિ આગેવાનો નક્કી કરે તેમાં સહમત થવાનું આહવાન કરવામાં આવ્યંુ.)